शुक्रवार, 21 मार्च 2014

નેતા મોટો કે નિતિમત્તા?

'ચૂંટણીઓમાં જ્ઞાતિવાદને કોઈ કાળે નકારી શકાય તેમ નથી' લગભગ તમામ રાજકીય ચર્ચાઓમાં આવુ સમીકરણ ઉભરે છે અને બહુમત કહોને કે લગભગ લોકો, એને હોંશેહોંશે વધાવે છે. આવી આબોહવા ચોમેર ફેલાયેલી જોઈને થયું ચલો આમાંથી સચ્ચાઈનો તાગ મેળવીએ... વાતની શરુઆત હું મારાથી કરીશ. હું આહિર જ્ઞાતિમાંથી આવું છું. આહિરો મુળે માલધારી પ્રજા એટલે રાજકારણ સાથે બહુ લેવાદેવા નહોતી પણ હમણાથી સમુહલગ્નો સહિત જ્ઞાતિના દરેક મેળાવડામાં રાજકીય આગેવાનો જ્ઞાતિબંધુઓને એક થવાની વાત પર ભાર મુકે છે. રાજકીય પહોંચ વધારવાની વાત કરે છે. એકસંપ થવાની વાતે પટેલ જેવી અન્ય જ્ઞાતિઓના દાખલા દઈને તેઓ કેટલા આગળ નિકળી ગયા અને તમે કેટલા પાછળ રહી ગયા તેનું મેદનીને ભાન કરાવે છે. સફેદ વસ્ત્રોમાં મેળાવડાઓમાં ફરતા રહેતા આવા નેતાઓ દેવદુત જેવા લાગે છે પણ વાસ્તવમાં આવા લોકો સમાજના મોટા દુશ્મન છે. તેઓ પોતાની અંગત મહાત્વાકાંક્ષા સંતોષવા, રાજકીય મોરચે જીત મેળવવા, નિર્દોષ પ્રજાને ભરમાવે છે. કૃષ્ણ આહિર કુળમાં જનમ્યા હતા. એમના સંતાનો અંદરોઅંદર લડી મર્યા, યાદવાસ્થળી સર્જાઈ ત્યારે પણ કૃષ્ણએ તેમને બચાવવાની ચેષ્ટા નહોતી કરી. કૃષ્ણ પરમાત્મા ઇચ્છત તો તેમના સંતાનોને બચાવીને, અન્ય રાજ્યો પર વિજય મેળવીને સૌ સંતાનોને અક્કેકુ રાજ સોંપી શકત. પોતાના અને પરાયા વચ્ચેનો ભેદ પાડવાને બદલે તેમણે જે ન્યાયની પડખે ઉભા રહેવાનું અને અન્યાયીનો વધ કરવાનું ઉચિત ગણ્યું. એ માટે એમણે સગા મામાનો અને પિતરાઈ ભાઈનો પણ વધ કર્યો. એકસંપ થઈને અશક્ત જ્ઞાતિઓનો ખો કાઢી નાખવાની કૃષ્ણએ કદી સલાહ આપી નથી. દૈવી ગુણો ધરાવતા આહિરો એની રખાવટ અને રોટલાથી પંકાતા હતા. એની સત્યનિષ્ઠાથી પંકાતા હતા. એ મૂલ્યો મા પૈણાવા ગયા. એ મૂલ્યોનું જતન કરવાની, એનું ગૌરવ લેવાની કોઈ મંચ પરથી વાત નથી કરતું. એને તો બસ જ્ઞાતિજનોના મતોના સહારે પોતાની સત્તા વધારવાની પડી છે. એક નિર્દોષ પ્રજાની આંખોમાં સત્તાનો સુરમો આંજી પોતાના વશમાં કરવાનો હુન્નર એમણે સાધ્યો છે. હજુ આહિર બહુ આહિર નેતાઓ પેદા નથી થયા અને જે નેતાઓની વાતોને પ્રજા બહુ માથે નથી ચડાવતી એટલું આશ્વાસન છે. હજુ આહિર સેના નથી રચાઈ પણ આ જ વિચારમાંથી બ્રહ્મસેના રચાઈ છે, ક્ષત્રિય સેના રચાઈ છે, કોળી સેના રચાઈ છે. કયા આક્રમણોને ખાળવા, કોની સામે મોરચો માંડવા આવી સેનાઓ રચાય છે? કોઈને ખબર નથી. કેમકે સૌની આંખોમાં સત્તાનો ચુરમો આંજી દેવાયો છે. આવી સેનાઓ રચનારાઓને કે એના સેનાપતિ થનારાઓ પણ ખાંડ ખાય છે. એમને એ ખબર નથી કે આવી જ સેનાએ દુનિયાને વિશ્વયુદ્ધના ખપ્પરમાં હોમી દીધુ હતું. જર્મનીમાં યહુદીઓએ એકસંપ થઈને બાકીની પ્રજા પર એટલો તો જુલમ ગુજાર્યો કે આખરે એ સૌકોઈનું લોહી વિશ્વયુદ્ધના ખપ્પરમાં રેડાયું. જ્ઞાતિ ગૌરવનો માપદંડ રાજકીય પ્રતિનિધિત્વ કદી ન હોઈ શકે. જ્ઞાતિ ગૌરવ લેવું જ હોય તો જ્ઞાતિના ઉમદા મુલ્યોનું જતન કરીને, સંવર્ધન કરીને લેવું. આમ સેનાઓ રચવાથી અને સભાઓ ગજવવાથી તો સમાજ પતનની ખીણમાં જઈ બેસશે. કેમકે તમે એકસંપ થઈને કોઈના હક્કહિસ્સાનો કોળિયો છીનવી લો છો ત્યારે એ ભુખે મરે છે કે નહી એની ચિંતા જવા દો, તમે હરામખોરની ઓલાદ બની જાવ છો એ મોટી ચિંતાનો વિષય હોવો જોઈએ.

बुधवार, 22 अगस्त 2012

દેવદર્શને જતા દેવલોક થયા...

માનતા પુરી કરવા જતા ટ્રેકટર પલટી ખાઈ ગયું અને અમુક દબાઈ મર્યા... માતાના મંદિરે ધાર્મિક સમારોહમાં ભાગદોડમાં અમુક કચડાઈ મર્યા... દેવદેવીના દર્શને જતા-આવતા અકસ્માતમાં મરી જનારાની સંખ્યા બહુ મોટી છે. કદાચ આતંકવાદી હુમલામાં મરનારા કરતા વધુ ધર્મસ્થળો સાથે જોડાયેલા અકસ્માતમાં મરતા હશે. આવું કેમ થાય છે? માતાજી કે દેવતા શ્રદ્ધાળુઓની રક્ષા કરવાને બદલે તેનો બલી લેવાનું કેમ પસંદ કરે છે? કાળ કેમ દેવીદેવતાના ભકતોને માર્ગમાંથી ઉપાડી જાય છે? થોડા વર્ષો પહેલાની વાત છે. કચ્છમાં એક પ્રખ્યાત ધાર્મિક સ્થળે મોટો મેળો ભરાયો હતો. દુરદુરથી બબ્બે દિવસ ચાલીને લોકો આવતા હતા. એક જ પરિવારના 8 જણાએ રોડની બાજુની વાડીમાં રાતવાસો કર્યો. એક ટ્રક રોંગ સાઇડમાં ઘુસી ગયો. ટ્રક રોંગ સાઇડમાં રોડ ઉપરથી ઉતરીને રોડથી ઘણે અંદર વાડીમાં એક હારમાં સુતેલા પરિવાર ઉપર ફરી વળ્યો. આખો પરિવાર ચગદાઈ ગયો. માન્યામાં ન આવે એવો અકસ્માત. ટ્રેકટર પલટી મારી જાય. વાહનના પૈડા નિકળી જાય. સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવી દે. અફવા ફેલાય અને ધકકામુકી થાય. મોટેભાગે ધાર્મિક અકસ્માતોના કારણો પણ અગમ્ય કેમ હોય છે? જવાબ આમ છે; જાણીતા દેવદેવીઓના સ્થાનકોનો ચોકકસ પ્રભાવ હોય છે. એ સ્થળના પ્રભાવક વાઇબ્રેશન્સ હોય છે. અને એ જળવાઈ રહે તે માટે આવા ધાર્મિક સ્થળે આકરી ડિસિપ્લીન જરૂરી છે. એ વાઇબ્રેશન્સને હાનિ ન પહોંચે એવું વર્તન મુલાકાતીનું હોવું જોઈએ. બાઅદબ એમની પ્રાર્થના થાય એ સિવાય આવા સ્થળે કોઈ સામાજિક, વ્યવહારિક પ્રવૃત્તિનો નિષેધ છે. આ અદબ તુટે એટલે દેવ-દેવી ભોગ લે છે. અદબ તોડવાનું આકરૂ મૂલ્ય ચુકવવું પડે છે. ઉપરના કિસ્સામાં ચગદાયેલો પરિવાર મેળામાં જઈ રહેલો ખિસ્સાકાતરૂ પરિવાર હોઈ શકે. હું નાનો હતો ત્યારે ટ્રેકટરમાં માનતા પુરી કરવા જતા સમુહનો ઘણીવાર હિસ્સો બન્યો હતો. મંદિર પરિસરમાં પ્રવેશતા જ મારૂ હદય ભાવભર્યુ થઈ જતું. પણ જુવાનિયા કુટુંબીજનો મંદિરના પરિસરમાં પણ છિનાળવા કરતા એવું આજે મારા સ્મરણમાં આવે છે. આવી પ્રવૃત્તિને દેવી કઈ રીતે ચલાવી લે? ઘણી વખત હું જેમા બેઠો હોઉ તે ટ્રેકટર સહેજ માટે મોટા અકસ્માતનો ભોગ થતા બચી ગયું છે. ટ્રેકટરના વ્હિલમાં અચાનક ફટાકડો થઈ ગયો. અચાનક વ્હિલ નિકળી ગયું. સામેથી આવતા વાહન સાથે અથડાતા ઇંચવાર રહી ગયું. આ અકસ્માતના પરચા મળ્યા હતા એ છિનાળવૃત્તિઓના કારણે. અને અકસ્માત અટકયા હતા મારા જેવા શુદ્ધાત્માઓના કારણે. ભલા તમે કલેકટર કમિશનર કચેરીમાં પણ એક અદબ સાથે પ્રવેશો છો. ત્યારે પૂણ્ય સ્થળે જતા તો એથીય વિશેષ અદબ અને આદર જોઈએ. નહિતર એ દિવ્યાત્મા અકસ્માતની ચાબૂક વિંઝશે જ.

गुरुवार, 9 जून 2011

પ્રજાના ઘરોને કોણે પલિતો ચાંપ્યો?


ઘણા વખતથી આ પ્રશ્ન પજવતો હતો.
સૃષ્ટિ ઉપર હું સવાત્રણ દાયકાથી વિચરણ કરૂ છું. પણ છેલ્લા બે-પાંચ વરસમાં મને મારી આસપાસનું બધુ બદલાયેલું લાગે છે. દાયકાઓ લગી મને દોરતી પ્રણાલીઓ અચાનક અદ્દશ્ય થઈ ગઈ. એમાં સૌથી વધુ અકળાવતો પ્રશ્ન એ હતો કે અચાનક જ જમીન મકાનના ભાવ પાંચ ગણા કરતાય વધારે થઈ ગયા એનું કારણ શું? અચાનક બજારમાં પૈસાની રેલમછેલમ થઈ ગઈ એનું કારણ શું? રિયલ એસ્ટેટમાં સ્થિતિ એ હદે વકરી કે 15-20 હજાર રૂપિયાના પગારદારને આખી જીંદગી કામે તોય સારૂ મકાન નસીબ ન થાય. પોતીકુ મકાન ન હી ધરાવતા મજુર-કામદારોને તો ઉપર આભ-નીચે જમીન જેવી પરિસ્થિતિ આવી. લગભગ પગાર જેટલું તો ખોલીનું ભાડુ હોય. વળી નાના-મોટા શહેર, ગામડાઓ... બધે જમીનના ભાવો આસમાને ગયા.

ઉંડો વિચાર કરતા કંઈક તાળો મળ્યો.

ગઈ લોકસભાની ચુંટણીમાં ભાજપનું મુખ્ય ચુંટણી સૂત્ર હતુ, પોતે સત્તા ઉપર આવશે તો ભારતનું વિદેશી બેંકોમાં જમા કાળુ નાણુ ભારતમાં પાછુ લાવશે. અબજો રૂપિયાના કાળાનાણાનો મુદ્દો પ્રજા માટે ઘણો સંવેદનશીલ છે એ કોંગ્રેસને કંઈ શિખવવાનુ ન હોય. તરત કોંગ્રેસે કહ્યુ કે યુપીએ સત્તામાં આવશે તો અમે પણ એ કાળુ નાણુ ખેંચી લાવીશું.

દેશના બંને મુખ્ય પક્ષો ચુંટણી ઢંઢેરામાં આવી જાહેરાત કરે એટલે સ્વાભાવિકપણે ધનપતિઓને વિદેશી બેંકોમાં જમા પોતાના ધનની સુરક્ષાને લઈને ચિંતા થાય. એ પુંજીપતિઓ તત્કાળ પહોંચ્યા વિદેશી બેંકમાંથી નાણા ઉપાડી લેવા.

કાળા-ધોળા કરીને એકત્ર કરેલી સંપત્તિ અને આબરૂ બંને જાય એવું એ સમૃદ્ધ શકુનિઓ કદાપી પસંદ ન કરે. પૈસા ઉપાડી લેવા માટે આવેલા ભારતિય નેતા, અધિકારીઓ, ઉદ્યોગમાંધાતાઓના ધાડા જોઈને સ્વિચ બેંક હાંફળીફાંફળી થઈને કહે કે તમે બધા પૈસા ઉપાડી લેવા આવ્યા છો પણ અહી તમે આવો એટલે તરત અમે નોટો ગણી દઈએ એવુ તો કેમ બને. તમે જરા ખાતાધારક અંગેની બેંકની કલમો વાંચીને પછી હરકતમાં આવો. તમારા પૈસા સ્વાભાવિકપણે અમારા ગજવામા ન હોય, એતો અમે ધીરી દીધા હોય. બેંકના કાયદા પ્રમાણે કાળાનાણીયાઓને પોતાની જમા રકમના 10 ટકા રકમ તત્પુરતી પાછી મળી.

એ રકમને સંતાડવાના રસ્તા શોધવા માંડ્યા. અને ત્યાંથી લાવેલી એ અધધધધ... 10 ટકા રકમને હરામખોરોએ અહી જમીન-મકાનમાં સગેવગે કરી. એ નીચ પ્રજાતિએ કીડીને કોશનો ડામ દીઘો અને એમ રિઅલ એસ્ટેટ ભડકે બળ્યું.

ઘણા વખતથી આ પ્રશ્ન પજવતો હતો.
સૃષ્ટિ ઉપર હું સવાત્રણ દાયકાથી વિચરણ કરૂ છું. પણ છેલ્લા બે-પાંચ વરસમાં મને મારી આસપાસનું બધુ બદલાયેલું લાગે છે. દાયકાઓ લગી મને દોરતી પ્રણાલીઓ અચાનક અદ્દશ્ય થઈ ગઈ. એમાં સૌથી વધુ અકળાવતો પ્રશ્ન એ હતો કે અચાનક જ જમીન મકાનના ભાવ પાંચ ગણા કરતાય વધારે થઈ ગયા એનું કારણ શું? અચાનક બજારમાં પૈસાની રેલમછેલમ થઈ ગઈ એનું કારણ શું? રિયલ એસ્ટેટમાં સ્થિતિ એ હદે વકરી કે 15-20 હજાર રૂપિયાના પગારદારને આખી જીંદગી કામે તોય સારૂ મકાન નસીબ ન થાય. પોતીકુ મકાન ન હી ધરાવતા મજુર-કામદારોને તો ઉપર આભ-નીચે જમીન જેવી પરિસ્થિતિ આવી. લગભગ પગાર જેટલું તો ખોલીનું ભાડુ હોય. વળી નાના-મોટા શહેર, ગામડાઓ... બધે જમીનના ભાવો આસમાને ગયા.

ઉંડો વિચાર કરતા કંઈક તાળો મળ્યો.

ગઈ લોકસભાની ચુંટણીમાં ભાજપનું મુખ્ય ચુંટણી સૂત્ર હતુ, પોતે સત્તા ઉપર આવશે તો ભારતનું વિદેશી બેંકોમાં જમા કાળુ નાણુ ભારતમાં પાછુ લાવશે. અબજો રૂપિયાના કાળાનાણાનો મુદ્દો પ્રજા માટે ઘણો સંવેદનશીલ છે એ કોંગ્રેસને કંઈ શિખવવાનુ ન હોય. તરત કોંગ્રેસે કહ્યુ કે યુપીએ સત્તામાં આવશે તો અમે પણ એ કાળુ નાણુ ખેંચી લાવીશું.

દેશના બંને મુખ્ય પક્ષો ચુંટણી ઢંઢેરામાં આવી જાહેરાત કરે એટલે સ્વાભાવિકપણે ધનપતિઓને વિદેશી બેંકોમાં જમા પોતાના ધનની સુરક્ષાને લઈને ચિંતા થાય. એ પુંજીપતિઓ તત્કાળ પહોંચ્યા વિદેશી બેંકમાંથી નાણા ઉપાડી લેવા.

કાળા-ધોળા કરીને એકત્ર કરેલી સંપત્તિ અને આબરૂ બંને જાય એવું એ સમૃદ્ધ શકુનિઓ કદાપી પસંદ ન કરે. પૈસા ઉપાડી લેવા માટે આવેલા ભારતિય નેતા, અધિકારીઓ, ઉદ્યોગમાંધાતાઓના ધાડા જોઈને સ્વિચ બેંક હાંફળીફાંફળી થઈને કહે કે તમે બધા પૈસા ઉપાડી લેવા આવ્યા છો પણ અહી તમે આવો એટલે તરત અમે નોટો ગણી દઈએ એવુ તો કેમ બને. તમે જરા ખાતાધારક અંગેની બેંકની કલમો વાંચીને પછી હરકતમાં આવો. તમારા પૈસા સ્વાભાવિકપણે અમારા ગજવામા ન હોય, એતો અમે ધીરી દીધા હોય. બેંકના કાયદા પ્રમાણે કાળાનાણીયાઓને પોતાની જમા રકમના 10 ટકા રકમ તત્પુરતી પાછી મળી.

એ રકમને સંતાડવાના રસ્તા શોધવા માંડ્યા. અને ત્યાંથી લાવેલી એ અધધધધ... 10 ટકા રકમને હરામખોરોએ અહી જમીન-મકાનમાં સગેવગે કરી. એ નીચ પ્રજાતિએ કીડીને કોશનો ડામ દીઘો અને એમ રિઅલ એસ્ટેટ ભડકે બળ્યું.

रविवार, 6 मार्च 2011

ગરવા ગિરનારની ગોદમાં


ગુજરાતનું સૌથી મહત્વપુર્ણ ધાર્મિક સ્થાન ગિરનાર. એક જમાનો હતો કે સાત સમદર પારથી ખોજી લોકો અધ્યાત્મની શોધમાં ગિરનાર ખુંદતા હતા. ગરવા ગિરનારના દર્શન માત્ર અનુભુતિનો વિષય છે. શાળામાં હતો ત્યારે ગિરનાર ચડ્યો હતો. તે વખતે પગથિયા ઉપર પગ ચાલતા નહોતા, ઉડતા’તા. ચરણને જરીકેય થાક નહી. એ પછીના ત્રણ દિવસનો પ્રવાસ દોડાદોડી અને કુદાકુદી સાથે પુરો કર્યો હતો. એ જાણે ગઈકાલની ઘટના હોય એમ એ દ્દશ્યો આંખ સામેથી પસાર થતા હતા. મનમાં હતું કે દત્તને ચરણે માથું નમાવવામાં તે કેટલીવાર. રમતા રમતા ડુંગરો ચડીશું અને બે-ચાર દિવસ મોજ પડે ત્યાં સુધી તળેટીમાં નાગા સન્યાસીઓને નિહાળ્યા કરીશું. હું અને મારા જીગરનો ટુકડો ડુંગર ચડીને ઉતરી ગયા પછી મને ખિજ ચડી મારી જાત ઉપર. દત્તાત્રેયની ટુંકના દર્શન કરવામાં તો ભવસાગર તરવા જેવો થાક લાગી ગયો.
‘પહેલા કામ અને પછી રામ’- જીવનમાં વનપ્રવેશ ટાણે વ્યવહારના કામ ઉકલી ગયા પછી સુખેથી શ્રીગોપાળ ભજવાની વાત કરનારી કમજાત પ્રજાને બે બે કીલોની ચોપડવાની ઇચ્છા થઈ. એક ગિરનાર ચડવામાં 33 વર્ષે શરીરના કડાકા બોલી જતા હોય તો 55 વરસે એની માનું નળુ પ્રભુ ભજન થાવાનું હતું! હરામની પ્રજા અને એથીય હરામના ગુરૂમહારાજો એમ કહીને નાની ઉંમરે ઉઠી રહેલા વૈરાગ્ય ઉપર પાણી ફેરવાનું કામ કરે છે. અરે ભાઈ, વનપ્રવેશ પછી બહુબહુ તો છુટથી વાછુટ થાય. બાકી શરીર સખ નો લેવા દે.

સમય બદલાઈ ગયો. ગિરનારના પગથિયા ઘસાઈને સાવ લિસ્સા થઈ ગયા અને લોકોના સુંવાળા મન ખરબચડા થઈ ગયા. પહેલા ગિરનાર ચડતા ત્યારે શરૂઆતમાં થોડા પગથિઆ સુધી શિંગ-ચણાની દુકાનો હતી. હવે છેક દત્તાત્રેય સુધી પાનબીડા, વેફર, વટાણા, શાકપુરી મળે છે. લોકોને જ્યાં થાય ત્યાં ધંધો કરી લેવો છે. બાકી બધુ જાય મા પૈણાવા.
પહેલા રસ્તામાં ગિરનાર સાથેનો મૌન સંવાદ થતો હતો હવે ડગલેને પગલે લોકોના ખિસ્સાના મોબાઈલમાંથી ફિલ્મી ગીતો ફુંટે છે. સાત હજાર ફુટની ઉંચાઈએ પણ, અલખ ધણીના ઓટલે પણ લોકોને ફિલ્મીગીતોનો સંગાથ જોઈએ છે.

કો સુતેલા ઋષિ જેવો ગિરનાર શિવરાત્રીટાણે વધારે ભોળુડો લાગે છે. કદાચ ભોળુડા બાળ નાગા સન્યાસીઓ એની ગોદમાં આળોટવા આવે એનું એને હેત ઉભરાતુ હશે. અંગે ભભૂત ચોળીને પોતાના લંગોટ, થેલો, ચિપિયો, તુંબડી સાથે ગિરનારની ગોદમાં ધુણી ધખાવીને જય ગિરનારીની અહાલેક જગાવતા પાંચ વર્ષથી લઈને પંચ્યાશી વર્ષના નાગા સન્યાસીઓ. ઓહ, સેંકડો નાગા સન્યાસીઓના એક જેવા નિર્દોષ ચહેરાઓ. એમાં કપટની આછી લકીરેય ન દેખાય. ભભૂત ચોળેલો આખો નગ્ન દેહ અને એમાં કોઈક કોઈક નાગાએ આંખે કાળા ચશ્મા ચડાવ્યા હોય. પાંચેક વરસના એક નાગા તો રમકડાની બંદુક ફોડતા હતા અને મુડ ચડે ત્યારે બાજુમાં પડેલા વાડકામાંથી યાત્રાળુઓના કપાળે ભભૂતનું તિલક કરતા હતા.

એક નાગા યાત્રાળુ મહિલાએ કાખે તેડેલા બાળક તરફ આંગણી ચીંધીને કહે છે, “માઈ, ઉસકો મુજે દે દે. વો હમારે લીયે હૈ. તેરે પાસ તો કારખાના હૈ. ફિર તું જીતના ચાહે બના લે.”

ભવનાથનો મેળો અધ્યાત્મના યાત્રીઓ માટે, ખોજીઓ માટે પણ સવિષેષ મહત્વ ધરાવે છે. અહી આખો માહૌલ સાત્વિક ઉર્જાથી છલકાતો હોય છે. નાગાઓના ચહેરા ઉપરની નિર્દોષતાથી આકર્ષાઈને કોઈકોઈ વિદેશી પણ ઝટાધારી બનીને ગાંજાની ચિલમ ફુંકતા જોવા મળે છે. કયા પરિબળોએ એમને નાગા બનવા પ્રેર્યા હશે? પોતાના ચિંથરેહાલ પરિવારને જોઈને ભિતર વૈરાગ્યની એવી અગનજ્વાળા પ્રગટી અને મનમાં ભાવ ઉઠ્યો કે આમ કાગડા, કુતરા પેઠે રવડી રવડીને મરવા કરતા સન્યાસી બનીને જાતને ઓળખવામાં જીવતર ખર્ચી નાખવું સારૂ? આર્થિક રીતે બેહાલ, પ્રેમભગ્ન યુવકો પણ નાગા સન્યાસ લેવા ઝંપલાવતા હશે?

સન્યાસમાં ઠેર-ઠેર દંભ ભાળ્યો અને નાગા સન્યાસીઓને જોઈને, એમના ચહેરાઓ ઉપરની માસુમિયતને જોઈને થતુ હશે કે સત્વ-તત્વ અહી મળશે? ફિર તો આગે આગે ગોરખ જાગે. નાગા સન્યાસીને ફરી સંસારમાં જવાની ઇચ્છા થાય તો?’ એક બાબા કહે છે, “એ સંભવ નથી. 12 વર્ષની આકરી તાલીમ પછી સન્યાસ આપવામાં આવે છે. કસોટીઓ કરીને સન્યાસ આપવામાં આવે છે. યહા પર ભી જુઠ, કપટ બહુત હે. ફિર ભી આપકી દુનિયા સે યે દુનિયા બહેતર હૈ.” તમને જાણીને નવાઈ લાગશે પણ તળેટીમાં ધુણી ધખાવીને બેઠેલા આ નાગા સન્યાસીઓએ પણ એમના આશ્રમમાં 500 રૂપિયા જેટલી ભેટ આપવી પડે છે. યુવાનોના નાગા બનવાના આકર્ષણ પાછળનું કારણ? સૌથી મોટુ કારણ ગાંજાનો નશો. નશેડીઓ નાગા સન્યાસી બનવા વધુ આકર્ષિત થાય છે. પછી સતત ગાંજો ફુંકવો અને નશામાં રહેવું એજ એમનું જીવન બની જાય છે. ગાંજા શિવાય એની કોઈ આસ કે પ્યાસ નથી રહેતી. તેઓ આજના કપટી સંસારીઓથી સારા પણ વાસ્તવિક અધ્યાત્મથી માઇલો દુર છે. અને આ દુરી વધતી જાય છે.

તળેટીથી જુનાગઢ બસ સ્ટેશન તરફ આવવા એસ.ટી.ની સ્પેશિયલ બસો મુકવામાં આવે છે. બસ ભરાય એટલે બસ ઉપડે. ટિકીટ 10 રૂપિયા. એવી જ વ્યવસ્થા જુનાગઢ એસ.ટી. ડેપોથી તળેટી જવા માટેની. સ્વાભાવિક જ સ્ટેશનથી તળેટી જનારા યાત્રાળુઓનો પ્રવાહ વધારે હતો. હલીલાખ માણસ ભવનાથના મેળામાં આવે છે. તળેટીમાં પાર્કિંગમાં બસોનો ઢગલો થઈ ગયો અને ડેપોમાં યાત્રાળુઓ બસની રાહમાં હજારો ફુટ લાંબી કતારમાં ઉભા હતા. વર્ષો પહેલા મારા પિતા અહી લાઈનમાં ઉભા હતા અને અઢી કલાકે તળેટીની બસમાં ચઢવા મળ્યુ હતું. એ વાતને દાયકો થયો. આજે વસ્તી વધી છે, ઘસારો વધ્યો છે. કતાર જોતા 4-5 કલાકની રાહ જોવી પડી હોય તો પણ નવાઈ નહી. કેવી વિટંબણા! સરકારી મેળાવડામાં ખાલી બસો દોડાવાય અને લોક મેળાવડામાં એસ.ટી. તંત્ર કમાણી કરવા લોકોને કલાકોની રાહ જોવડાવે. રિક્ષાવાળાઓને દુર ખદેડી મુકવામાં આવ્યા હતા નહીતર તેઓ બે પૈસા રળત અને લોકોને 10 રૂપિયામાં વગર હાલાકીએ તળેટીએ મુકી જાત. નો ડાઉટ, ભવનાથના મેળામાં આ રીતે એસ.ટી.એ લાખોની કમાણી કરી હશે. પણ એ કમાણીનો અર્થ શું? યાત્રાળુ ગિરનાર ચડવાના હોઈ બે પૈસાની કમાણી કરવા એમને હાલાકીનો શિકાર બનાવવો એ વિકૃત માનસિકતા નહી તો બીજુ શું? અરે કમનસીબો, તમારે દરેક જગ્યાએથી કમાણી જ કરવી છે તો વાપરશો કઇ જગ્યાએ? કમબખ્તો જવાબ તો આપો. નીચના પેટનાવ.

मंगलवार, 30 नवंबर 2010

એઇડ્સ પ્રિવેન્શન કે પ્રોત્સાહન?



જ્યારે જ્યારે એઇડ્સ શબ્દ સ્મૃતિમાં આવે ત્યારે સૌ પહેલા મારી નજર સામે એ બે એચઆઈવી પોઝીટિવ પાત્રો તરી આવે છે જેનો મેં નજીકથી અભ્યાસ કર્યો છે. એક આઘેડવયની પ્રોસ્ટિટ્યુટ છે જેને સુરતથી એચઆઇવી પોઝીટીવ થઈને આવેલા હિરા વ્યવસાયિકે વરસો પહેલા એચઆઇવીનો ચેપ લગાડ્યો હતો. આજે આ બાઈ એ ગામના અડધો ડઝન લોકોને એચઆઈવીનો ચેપ લગાડી ચુકી છે. બીજો એચઆઈવી પોઝીટીવ યુવક હતો જે ચારેક વરસ પહેલા મરી ગયો. આ યુવકના નિદાનમાં એચઆઇવી પકડાયો તે દિવસથી એણે સ્વિકારી લીધુ હતું કે બહુ જલ્દી મરી જવાનું છે (આઈ થિંક ત્યારે એન્ટી રેટ્રોવાઇરલ ટ્રિટમેન્ટ અમલમાં નહોતી). મરણિયા બનેલા આ યુવકે એક મિશન આદર્યુ હતું કે પોતે મરે એ પહેલા શક્ય એટલા વધુ લોકોને એચઆઇવી પોઝીટીવ બનાવી દેવા. આ માટે એણે મહુવા મ્યુનિસિપલ હોસ્પિટલને ટાર્ગેટ કરી હતી. (એ વખતે હું મહુવા બ્લડબેંકનું સંચાલન કરતો હતો એટલે હોસ્પિટલના ડોક્ટરો પાસેથી મને આ વાત જાણવા મળી હતી) કશા જ કારણ વગર એ તાવ તરીયાનું બહાનુ આપી હોસ્પિટલમાં દાખલ થઈ જતો હતો. ડોક્ટરો એને દાખલ થવાની જરૂર નથી એવું કહે ત્યારે તે પોતાને બહુ અશક્તિ આવી ગઈ હોવાનું અને ઘરે કોઈ સારવાર કરનારૂ નહી હોવાનું બહાનુ આપીને દાખલ કરવા માટે કરગરી લેતો. પોતાનું ચેપગ્રસ્ત લોહી શક્ય એટલા વધુ લોકોના સંપર્કમાં આવે એ માટે એ પૈસા ખર્ચી નાખતો, આર્થિક સ્થિતિ નબળી હોવા છતા.
‘સાહેબ, જરા મેલેરિયાનો રિપોર્ટ કરાવી લોને ટાઢ વાય છે.’
‘સાહેબ, જરા લોહીની ટકાવારીનો રિપોર્ટ કરાવવો છે.’
‘સાહેબ, શક્તિના બાટલો ચડાવવો છે.’
ગમે તે રીતે લોકો પોતાના એચઆઈવી ગ્રસ્ત લોહીના સંપર્કમાં આવે એની એ હંમેશ ફિરાકમાં રહેતો. આમાંથી એ વિકૃત આનંદ મેળવતો હતો. હવે હોસ્પિટલના સ્ટાફ માટે એ રહસ્યમય વ્યક્તિ બની ગયો હતો. આખરે હોસ્પિટલના સ્ટાફે રહસ્ય ઉપરનો પડદો ઉચક્યો અને એને ‘ખબરદાર, હવેથી હોસ્પિટલના પરિસરમાં પગ ન મુકતો’ એવી ધમકી આપીને માંડ છંડવાડ્યો. જોકે એ મર્યો ત્યાં સુધી તેણે એક યા બીજા પ્રકારે એનું એઇડ્સનો ચેપ ફેલાવવાનું કાર્ય ચાલુ જ રાખ્યુ હતું. જોકે ઇન્જેક્શન કે ઘાવ થકી બહાર આવેલા લોહીમાં થોડા સમયમાં જ એચઆઇવીના જીવાણુઓ મૃત્યુ પામે છે તો પણ લોહીના સંસર્ગથી ચેપની શક્યતાને સંપુર્ણ નકારી શકાય નહી. એચઆઈવીનો ચેપ એ સુરતથી વરિયાળી ભાગોળ વિસ્તારથી લાવ્યો હતો અને એમના પત્નિ અને બાળકને પણ એણે એચઆઈવીનો ચેપ આપ્યો હતો.


પેલી પ્રોસ્ટિટ્યુટે અડધો ડઝન વધુ લોકોને એચઆઈવી વાહક બનાવ્યા એમને હું ઓળખુ છું. ગામમાં એમના ક્લાયન્ટનું લિસ્ટ તો ઘણુ મોટુ છું. એ બાઇને ખબર છે કે પોતાને એચઆઇવીનો રોગ છે અને પોતાનો ક્લાયન્ટ કોન્ડોમનો ઉપયોગ કરે તો તેનાથી બચી શકે. પણ તે તેમ કરતી નથી.


બિલ ગેટ્સનું મલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન અને સરકાર અને બીજા ઘણા એઇડ્સ નાબુદી માટે અબજો અબજો રૂપિયાનું ભંડોળ ફાળવે છે જેનો મહદઅંશે ઉપયોગ એઇડ્સગ્રસ્તોને સહાનુભુતિ માટે થતો જોયો છે. એચઆઇવી પિડિતો જાણે શહિદસપુતો હોય એમ સંસ્થાઓ એમને સ્ટેજ ઉપર બેસાડીને આમંત્રિત સેલિબ્રીટી સાથે નૃત્ય અને હસ્તધુનનના કાર્યક્રમો યોજે છે. એમના વાંસા થાબડે છે. એ અક્કલના ઓથમીરોને ખબર નથી કે એ એઇડ્સની નાબુદી માટે કામ કરી રહ્યા છે કે ફેલાવા માટે?


અહી કરોડો લોકો કાળી મજુરી કરીનેય બે ટંક રોટલો પામતા નથી એનું તમને કાંઈ દાઝતું નથી અને તમને અસલામત વ્યભિચારને કારણે એઇડ્સનો શિકાર બનેલાઓ ઉપર એવું તે કેવું હેત ઉભરાય છે કે તમે એમના ક્ષેમકુશળનું જતન કરવા નિકળ્યા છો. એઇડ્સ નાબુદી ઝુંબેશની માને કુતરા પૈણી ગ્યા કે એઇડ્સનો ગધો ખાઈમાં ગયો? આખરે થયુ શું એ કોઈ કહેશે અમને.....

सोमवार, 22 नवंबर 2010

સમાજકલ્યાણખાતુ અને તાંત્રિકોનું તરકટઃ બે માંથી કોણ વધુ હલકટ?



ધર્મ ધનપ્રાપ્તિ માટેનો સૌથી સરળ રસ્તો છે. લક્ષ્મીની ઝંખના કરનારાઓ આ વાતનું મહાત્મય સારી પેઠે સમજી ગયા છે એટલે જ તો ડગલે ને પગલે જ્યાં નજર નાખો ત્યાં એકાદ સાધુબાવો, મંદિર કે આશ્રમ તો દેખાઈ જ જશે. મંદિરોમાં મુર્તિ એકાદ જ હશે અને કદાચ મુર્તિ તમારી પહોંચથી દુર હશે પણ ચારપાંચ વ્યુહાત્મક જગ્યાએ ગોઠવેલી દાનપેટીઓ ઠેબે ચડતી હશે. ‘ભેટની રકમ દાનપેટીમાં જ પધરાવવી’ એવી સલાહ એટલા માટે લખવામાં આવે છે કે દેવ આગળ ભેટ ધરશો તો પુજારી ગળશી જાશે અને પુજારી આ મંદિરનો એમ્પ્લોઈ હોઈ મંદિરના અસલ માલિક સુધી ગરાસ પહોચે એ માટે ભેટ દાનપેટીમાં પધરાવવી. જો કે આની પાછળ ‘અન્યથા તમારી ભેટ રદબાતલ ઠરશે’ એટલુ ઉમેરવામાં આવે તો મંદિર માલિકોને વધુ ફાયદો થાય એમ છે. અમે તો સુચન આપ્યુ, માનવુ ન માનવુ માલિકની મરજી.

ધર્મનો વ્યાપાર એટલી ઝડપે વૃદ્ધિ પામી રહ્યો છે કે બહુ નજીકના ભવિષ્યમાં સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ ધરાવતા મહાત્વાકાંક્ષી ઉદ્યોગસ્વામીઓ ભક્તોની લક્ષ્મીને આકર્ષવા વિશિષ્ટ મંદિરો ચણાવશે જેમાં દર્શનાર્થીએ રોકડ ભેટ નું જોખમ લઈને મંદિરે ન આવવું હોય કે બારોબાર આવેલા ભક્તના ખિસ્સામાં ભેટ માટેની રોકડ ન હોય તો તેમની સગવડતા ખાતર ગર્ભગૃહના ટોડલે જ ‘અહી ક્રેડિટકાર્ડ, ડેબિટકાર્ડ સ્ક્રેચ કરીને ભગવાનને ભેટ ધરાવી શકાશે’ વિજ્ઞપ્તિ લખવામાં આવી હશે.

બિઝનેસ ચેનલોમાં પણ રોકાણ માટેની સલાહ આપતા એક્સપર્ટ કહેશે કે તમારી પાસે બહુ નહી તો એકાદ વ્યવસ્થિત મંદિર બંધાવવા જેટલી પુંજી હોય તો એમ કરવું વળતરની અને સલામતીની દ્રષ્ટિએ શ્રેષ્ઠ રોકાણ ગણાશે. ‘મંદિર બાંધવા માટે લઘુત્તમ વ્યાજદરે ધિરાણ આપવામાં આવશે, નો પેપરવર્ક, નો ગેરન્ટી રિક્વાયર્ડ. માત્ર સવા દિવસમાં જ ઘેર બેઠા લોન મેળવો અને શ્રી સવા કરો’ એવી બેંકોની જાહેરખબરોથી છાપા છલકાશે. વૈષ્ણોદેવી, તિરૂપતિ, શિરડીના મંદિરોની લઘુઆવૃત્તિઓ બધા શહેરોમાં નિર્માણ પામશે.

હાસ્ય વિનોદ બહુ થયો હવે જરા ગંભિર વાત કરીએ.

અત્યારે ધર્મના નામે રોકાણ વગર, નજીવા શ્રમે, વધુ વળતર આપતો ધંધો તાંત્રિકોનો છે. કામમાં સફળતાને લઈને અને એમનુ બાંધેલું કોઈ તોડી ન શકે એ માટે 100 ટકાથી લઈને 1000 ટકાની ગેરંટી આપતા તાંત્રિકોની જમાતની ટચુકડી જાહેરખબરથી રોજ ગુજરાતી છાપાનું અડધુ પાનું ભરાઈ જાય છે. તાળો મેળવો તો જરી, રોજ તાંત્રિકો જા.ખ. પાછળ કેટલા ખર્ચે છે.

ધર્મની તાંત્રિક શાખા પ્રત્યે અમારૂ ધ્યાન એટલા માટે ખેંચાયુ કે કાલે-પરમદિવસ અમદાવાદની નરોડા પાર્શ્વનાથ ટાઉનશીપ પાસે વૈભવી ધરણીધર વિલામાં રહેલા રાજેશ ઉનાકરે તેની પત્નિ અને બે બાળકો સમેત ચારેય જણાયે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી તેની સ્યુસાઇડ નોટમાં તેમણે આપઘાત માટે વિનુ નાયક નામના તાંત્રિકને જવાબદાર ઠેરવ્યો હતો. આ તાંત્રિકે રાજેશની સમસ્યાઓના ઉકેલ માટે વિધીઓના નામે રાજેશ પાસેથી પૈસા પડાવવાનું ચાલુ કર્યુ. એ પૈસેટકે ખાલી થઈ ગયેલા રાજેશ પાસેથી ઉઘરાણીઓ કરતો અને મારી નાખવાની ધમકી આપતો હતો. તાંત્રિક ગઠીયા હોય છે એ વાત તો હું જાણતો હતો પણ એ ગુંડાય હોય છે એની ખબર નહોતી.

અમે તાંત્રિકોની મોડસ ઓપરેન્ડીનો વર્ષો પહેલા અભ્યાસ કર્યો હતો. અઘોરી બાબા, સાંઈ જ્યોતિષી, કાલી ઉપાસક, હનુમાન ઉપાસક સિદ્ધ તાંત્રિકના ભળતાસળતા નામે તેઓ જાહેરખબર છપાવે છે. બાબા હોટલમાં ઉતરે છે અને જાહેરખબરમાં સંપર્ક માટે બોગસ નામે મેળવેલો મોબાઇલ નંબર છાપેલો હોય છે. મુલાકાત માટે ક્લાયન્ટ ફોન કરે એટલે બાબા કે બાબાનો અનુયાયી ફોનમાં બે-ત્રણ દિવસ પછીની એપોઈન્ટમેન્ટની તારીખ અને સમય લખાવી દે છે. વચ્ચેના બે-ત્રણ દિવસમાં ક્લાયન્ટના નંબરની મદદથી ક્લાયન્ટનું નામ-સરનામુ મેળવી લે છે અને બાબા એના માણસો દોડાવીને ક્લાયન્ટના એરિયામાં દોડાવીને છુપી રીતે ક્લાયન્ટના પરિવારની અછડતી હિસ્ટ્રી મેળવી લે છે. તાલિમ પામેલા બાબાના માણસો ક્લાયન્ટના પાસ-પડોશમાંથી ક્લાયન્ટના પરિવારના સભ્યોની સંખ્યા, તેમના નામ અને કામ જેવી શક્ય એટલી પ્રાથમીક જાણકારી મેળવી લે છે. દાખલા તરીકે, ક્લાયન્ટનું નામ રમેશચંન્દ્ર છે. એમનો 7 વર્ષનો દિકરો આશુ છે. રમેશચંન્દ્રના બે ભાંડુઓ સૌરાષ્ટ્રમાં આવેલા વતન પેથલપરમાં રહે છે, રમેશચંન્દ્રની પ્રાથમિક સમસ્યા વિશે જરા જાણવા મળે તો ઉત્તમ બાકી આટલુ ઇનફ છે.

બે દિવસ પછી રમેશચંન્દ્ર જેવા તાંત્રિક જ્યોતિષીની કેબીનમાં દાખલ થાય કે તરત તાંત્રિક કહેશે, ‘આવો રમેશભાઈ. દિકરો આશુ તો મજામાં છેને.’
રમેશચંન્દ્રઃ !!!
‘ગામડે પેથલપરમાં બધા સકુશળ તો છેને.’
રમેશચંન્દ્રઃ !!!
બાબાની દુરદ્રષ્ટિથી અવાક્ બનેલા રમેશચંન્દ્ર બાબાના ચરણોમાં માથુ મુકી દેશે. કોઈ દલીલ નહી, કોઈ શંસય નહી...તાહિમામ શરણાગતમ્.
‘રમેશભાઈ ચિંતાનું કોઈ કારણ નથી, તમને જરાક ફલાણા ફલાણાની નડતર છે, ફલાણી વિધી કરાવશુ એટલે બધી નડતર છુ થઈ ગઈ સમજો. ખર્ચ બહુ ઝાઝુ નથી ચાર-પાંચ હજારમાં પતી જશે.’

બાબાના ચમત્કારથી અભિભુત થયેલા રમેશચંન્દ્ર ફરી એકવાર બાબાના ચરણોમાં માંથુ નમાવીને વિધી માટે ‘હા’ ભણી દેશે. રમેશચંન્દ્ર વાંકી કેડે જ નમન કરતા બાબાના કમરામાંથી વિદાય લેશે અને બાબા ‘નેકસ્ટ્’ કસ્ટમરનું કાઉન્સેલિંગ કરશે. પછી નેકસ્ટ, નેકસ્ટ, નેકસ્ટ.... જધેલના તાંત્રિકોનું સંગઠિત તરકટ વર્ષોની ચાલે છે અને સમાજકલ્યાણખાતાને કોઈ પરવા નથી. બે માંથી કોણ વધુ હલકટ?

વર્ષો થયા ઓઢવ-અમદાવાદમાં માત્રા એક રેશનાલિસ્ટ મિત્રે એક જુનાગઢી બાબાને સમસ્યા નિવારણ માટે ઘરે બોલાવીને બાબાને મેથીપાક ચખાડ્યો હતો અને વારંવાર અમદાવાદમાં પધારવાની કૃપા કરતા આ બાબાને ફરીથી અમદાવાદમાં નહી ડોકાવાનું વચન લઈને જવા દીધો હતો એ વાતનું પણ અહી સ્મરણ થાય છે.

गुरुवार, 2 सितंबर 2010

ઝેરના ખવડાવનારાને અને ઝમીર ગીરવે મુકી દેનારાને શું કેવુ?


ચારેકોર એકબીજાને મહાત કરવાનું, લુંટી લેવાનું, પડાવી લેવાનું, ઓળવી જવાનું, દુ બનાવવાનું દંગલ ચાલે છે. આવુ દંગલ નિચતાની સરહદો વળોગી ગયુ છે. એની ભાટાઈ કરનારાઓનોય તોટો નથી.

તમે બાળકોને ખવડાવવા-પિવડાવવા દુધ-દહી-છાસ પેકીંગમાં બજારમાંથી ખરીદો છો. તે ખાદ્ય છે કે નહી તેની ખાતરી માટે તેને ઉપરતળે લખેલી ઉત્પાદન અને અવસાન(એક્સપાઇરી) તારીખ વાંચી લો છો અને ટીવીના પડદે વારંવાર જાહેરખબર ઉછળતી જોઈને તમે કંપની સ્ટાન્ડર્ડ હોવાનો સધિયારો મેળવો છો. પણ સબુર, ઉત્પાદન અને અવસાન તારીખ કાળી શાહીથી અંકિત કરેલી હોય છે. તમને ક્યાં ખબર છે કે આઉટડેટેડ થઈ ગયેલા માલને ઇનડેટ કરી શકાય છે. અને એય માત્ર શાહી ભુંસવાના એક રસાયણથી. કંપની રસાયણની મદદથી અવસાન પામેલી તારિખને ભુંસી નાખે છે અને નવી તારીખનો સિક્કો મારી દે છે. અને નીચના પેટની મોટાભાગની બ્રાંન્ડેડ-નોનબ્રાન્ડેડ કંપનીઓ આ રીતે ઉકરડાનો માલ મારા-તમારા પેટમા પધરાવે છે. આવી તેને શી જરૂર પડી. તો કે એના આકાઓને નફો વધારવો છે, ટર્નઓવર વધારવું છે અને પોતે મરી જાય એ પહેલા ટાટા-બિરલા-અંબાણીઓની યાદીમાં પોતાની જાતને ખાતે કરાવવી છે. જલ્દીથી લાખોની કંપનીને કરોડોમાં, કરોડોની કંપનીને અબજોમાં ગલોટિયા ખાતી કરવી છે. તેમણે સેવેલી આ ઉંધિયા વાનીની હાંડીમાં કડછો ફેરવાની ભુમિકા હરામના હમેલ એવા આજના મોટાભાગના મેનેજમેન્ટ ગુરૂ-ચેલાઓ નિભાવે છે.

6 મહિના પુર્વેની વાત છે. હું એક મોલમાં ખરીદી કરવા ગયો એમાં બિસ્કુટના રેકમાં એક જાણીતી બ્રાન્ડના 15 રૂપિયે પડીકુ ભાવના 4 પડીકા બિસ્કુટના બાંધાનો ભાવ 40 રૂપિયા રાખ્યો હતો. આ જ બ્રાન્ડના બિસ્કુટના પડીકા બાજુમાં છુટા પડ્યા હતા અને તે 15 રૂપિયે પડીકુ વેચાતા હતા. એક જ પ્રોડક્ટના બે ભાવ. મેં ધારીને જોયુ તો 15 રૂપિયાવાળા બિસ્કુટનું રેપર નવું હતું અને 40 રૂપિયે બાંધો બિસ્કુટનું રેપર ઘણુ જુનું. એના રેપરનો રંગ ઘણોખરો ઉડી ગયો હતો અને બાહ્ય દેખાવ જોતા એમ જ લાગે કે પાંચ-દસ વરસ જુનો માલ હશે. મને શક જતા મેં ઉત્પાદન-અવસાન તારિખ જોઈ પણ આશ્ચર્ય, ઉત્પાદન તો તાજેતરનું જ હતું. મેં એકબાંધો ખરીદ્યો. એ બિસ્કુટ ખાધા ત્યારે એમાં મુળભુત ટેસ્ટ ગાયબ હતો પણ એમ કેમ થયુ તે તે વખતે નહોતું સમજાયું.
સમજાયુ તાજેતરમાં બજારમાંથી દહીની પડીકુ લાવ્યો ત્યારે. દહીનો મુળભુત ટેસ્ટ ગાયબ જોઈને મેં ઉત્પાદન-અવસાન તારિખ જોઈ. અહો આશ્ચર્યમ્, ગદ્યનુ તારિખ જોડે અડપલું દીઠું.

સજ્જનો અને સન્નારીઓ, ઉત્પાદન-અવસાન તારિખ લખવા ભુંસવાનું કામ માત્ર દુધ-દહી-છાસ-ઘી પુરતુ સિમિત નથી. ચવાણા, વેફર્સ, બિસ્કુટ, દવાઓ...કંઈક ઉત્પાદનોમાં આ તકનિક ઉપયોગમાં લેવાઈ રહી છે. ઇ ઝેરના ખવડાવનારાને, ઈ ઝમીર ગીરવે મુકી દેનારાને, જીવાતની પ્રજાતિ કરતાય નીચે ગયેલા કમબખ્તોને શું કેવું એની ગમ પડતી નથી અને ગાફેલને એલફેલ બોલવાનું અમારૂ ગજુ નથી. છતાય ગાફિલ ગાઈ ગયા કે, તમે કેમ છો ગાફેલ હજુયે છો ગાફેલ, જુઓ બદલે દુનિયા તકાજે તકાજે.

સાંભળો વાત અહી પુરી નથી થતી, વધુ એક અગત્યની પણ આડવાત કરવી છે. મારા ગામની વસ્તી વીશેક હજાર આસપાસની હશે. 95 ટકા ગામનો ગુજારો ખેતીવાડી પર થાય. બાકીના પાંચ ટકામાં સુરત જઈને હિરા ઘસે કે મારા જેવા ટેલટપારીયુ કામ કરે. મારા ગામમાં સેંકડો ગાયો-ભેંસો છે છતા બપોરવરત દુધની જરૂર પડે તો કશેથી ન મળે અને કરિયાણાની દુકાનેથી પડીકાવાળુ દુધ લેવુ પડે છે. અમુક વરસ પહેલા હતી એટલી ગાયો-ભેંસો અને ગૌચર ચરાણમાં વરસો જતા ક્રમશઃ ઘટાડો થઈ રહ્યો છે. પહેલા મારા ગામમાં આઠદીએ ઘી ઉના કરતા, હવે કોઈ ઘી ઉનુ કરતુ જોવા નથી મળતું. આ કહાણી મારા ગામની એકલાની નથી. મહદઅંશે આખા ગુજરાતની અને કવચિત આખા દેશની છે. તો અંતતોગત્વા મારાભાઈ અને મારીબાઈ, અમારા ગામની ગાયુ-ભેંશ્યુ અમારા ગામની વસ્તીને દુધમાં નથી પહોંચી વળતી તે મુંબી, અમદાવાદ અને સાગરપાર ગલ્ફના દેશો માટે એની માના નેફામાંથી દુધ આવવાનું હતું. હા, કેટલાક જણ પૈસા વધારે મળે ઇ લોભે ગામમા દુધ આપવાને બદલે ડેરીમાં દુધ ભરી દયે છે ઇ હાચુ. પણ એમ ચાંગળે દુધે અબજો પરજા કંઈ દુધે વાળુ કરવાની હતી ? રામ ક્યો મારાભાઈ.

ખેર, તમતમારે ઉજળુ એટલું દુધ ગણવુ હોય તો ના કોણ પાડે છે. અમારે તો ટેસડો છે, અમે તો એયને મજેથી મમરા ફાંકીએ છીએ ખાટલે આડા પડીને.